મોરબી જિલ્લા આપ દ્વારા પૂજ્ય બાપુની પુણ્યતિથિ નિમેત્તે પ્રતિમાને ફુલહાર કરાયા

- text


મોરબી : મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ પૂજ્ય ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે તેઓની પ્રતિમાએ ફુલહાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

ભારત દેશને જે મહાપુરુષે આઝાદી અપાવી અને આઝાદી માટે જેમણે પોતાનું બલિદાન આપ્યું એવા આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ તેમજ શહીદ દિવસ નિમિત્તે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા તમામ તાલુકા મથકે પૂજ્ય બાપુની પ્રતિમાને ફુલહાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

- text

આ તકે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણા,મોરબી જીલ્લા મહામંત્રી જશવંતભાઈ કગથરા, છગનભાઈ કાનાણી, મોરબી જિલ્લા મંત્રી ચેતન લોરીયા,રવિભાઈ રાજપરા, તેમજ મોરબી જિલ્લા અને તાલુકા ટીમમાંથી પંકજ આદ્રોજા, પ્રદીપ ભોજાની, દિવ્યેશભાઈ મગુનીયા, દેવશીભાઇ ચૌહાણ, જયદીપસિંહ ઝાલા તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ હાજરી આપી મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

- text