મોરબીના આધેડ બેંકે જવાનું કહીને લાપતા 

- text


જે કોઈને પણ ભાળ મળે તો જાણ કરવા વિનંતી

મોરબી: મોરબીમાં રહેતા અને ધાર્મિક કર્મકાંડ કરતા દેવજીભાઈ મોહનભાઈ શુક્લ ગત તારીખ 28ના રોજ ઘરેથી પોતાની એસબીઆઇ ત્રિકોણબાગ મોરબીની પાસબુક તથા પોતાનું આધારકાર્ડ લઇ બપોરના સમયે પૈસા ઉપાડી પાછા આવવાનું કહીને જતા રહ્યા છે.જે બાદ હજુ સુધી પાછા આવ્યા નથી. તેમજ બેંકમાં તપાસ કરતાં તેઓએ પોતાના એકાઉન્ટમાંથી કોઈ જાતની રોકડ રકમ ઉપાડેલ નથી. જેથી તેઓ બેંકમાં જવાને બદલે અન્ય કોઇ જગ્યાએ જતા રહ્યા હોવાની શંકા છે.

- text

તેઓ થોડા દિવસથી માનસિક ટેન્શનમાં રહેતા હતા. તેમજ તેઓને ડાયાબિટીસ તથા હરસની વધારે તકલીફ છે.આ આધેડની કોઈને પણ જાણ થાય તો (મોબાઈલ નંબર 70161 69402, 9978292980) પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text