મહેન્દ્રનગરમાં રાષ્ટ્રભાવના સાથે વૈદિક હવન યોજાયો

- text


મોરબી : મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામમાં રાષ્ટ્રભાવના સાથે વૈદિક હવન યોજાયો હતો. વૈદિક હોમહવનમાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની પ્રાર્થના કરવામાં આવી હતી.

મહેન્દ્રનગરમાં ટંકારા ગુરુકુળના પૂર્વ પ્રધાનાચાર્ય વિદ્યાદેવજી દ્વારા વૈદિક હોમહવનનું આયોજન કરવા આવ્યું હતું. જેમાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની પ્રાર્થના કરવામાં આવી હતી. અને રાષ્ટ્ર દેવો ભવ: સાથે દેશ છે તો હું અને મારા સુરક્ષિત છે તેવી ભાવના જાગૃત કરવામાં આવી હતી. તેમજ આયુર્વેદ, ખગોળશાસ્ત્ર અને તક્ષશિલા જેવી વિદ્યાપીઠોમાં શીખવવામાં આવતી રાષ્ટ્રના મહત્વ અંગેની વિદ્યાનું જ્ઞાન લેવામાં આવ્યું હતું.

આ તકે વિજય રાવલ, જયંતીભાઈ રૂપાલા, વૃક્ષપ્રેમી આંબાભાઈ, મહેશ ભોરણીયા, ગુણામામા સહિતના હાજર રહ્યા હતાં. તેમ રામકો આર્યમંડળની યાદીમાં જણાવાયું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text