પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ તિરંગાનું વિતરણ કરી દેશભક્તિ જગાવતું યંગ ઇડિયા ગ્રુપ

- text


 

દરેક મોરબીવાસીઓ આવતીકાલે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે તિરંગાને ચિન્હ રૂપે લગાડી અથવા ઘર ઉપર તિરંગો લહેરાવી દેશ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે તેવી અપીલ કરાઈ

મોરબી : મોરબીમાં હરહંમેશ પ્રત્યેક કાર્યમાં દેશહિતને ઉજાગર કરીને સદાય લોકોમાં દેશ પ્રત્યેની ભાવના અખંડિત રાખતા જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ લોકોને રાષ્ટ્ધ્વજના પ્રતીક રૂપી તિરંગાનું વિતરણ કરીને લોકોમાં દેશભક્તિને જાગૃત કરી હતી.દરેક મોરબીવાસીઓ આવતીકાલે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ઘર ઉપર તિરંગો લહેરાવી દેશ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે તેવી અપીલ કરાઈ છે.

- text

મોરબીના જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આવતીકાલે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે દરેક મોરબીવાસી પોતાના ઘર કે અન્ય સ્થળે તિરંગો લહેરાવી દેશ પ્રત્યેની ભાવના વ્યક્ત કરી શકે તે માટે સરાહનીય કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દેશની આન, બાન અને શાન સમાન ત્રિરંગા-રાષ્ટ્રધ્વજના પ્રતીકરૂપે ત્રિરંગાના ચિન્હરૂપીને મોરબીમાં આવેલ વિવિધ જાહેર જગ્યાએ વિતરણ કરીને ત્રિરંગા અને દેશ પ્રત્ય આદરભાવ અને રાષ્ટ્ર ભાવના પ્રગટાવાનો પ્રયાસ કરાયો છે. સાથેસાથે યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા આવતીકાલે ૨૬મી જાન્યુઆરીના દિવસે ભારતનો રાષ્ટ્રધ્વજ તિરંગાને ચિન્હ રૂપે લગાડી અથવા પોતપોતાના ઘર ઉપર તિરંગો ધ્વજ ફરકાવી રાષ્ટ્ર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની અપીલ કરવામાં આવી છે.

- text