મોરબીમાં કાલે વિધાનસભા અધ્યક્ષ હાજરી નહિ આપી શકે, કલેક્ટરના હસ્તે થશે ધ્વજવંદન

- text


 

તબિયત નાદુરસ્ત હોવાના કારણે અંતિમ ઘડીએ કાર્યક્રમમાં ફેરફાર

મોરબી : 73માં પ્રજાસત્તાક દિનની ઉજવણીના કાર્યક્રમમાં અંતિમ ઘડીએ ફેરફાર કરવામાં આવ્યો છે. કાલે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્ય ઉપસ્થિત નહિ રહે. જેથી કલેક્ટરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે.

- text

ભારતના 73માં પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ આવતીકાલે બુધવારના રોજ સવારે 9 કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડ,જેઈલ રોડ,મોરબી ખાતે કરવામાં આવશે.જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યના વરદ્દ હસ્તે યોજાનાર હતો. પણ તેઓ નાદુરસ્ત તબિયતને કારણે ઉપસ્થિત રહેવાના ન હોય, તેમની બદલે જિલ્લા કલેક્ટર ધ્વજવંદન કરવામાં આવનાર છે.

- text