વાંકાનેર શહેર ભાજપ મહિલા મોરચાના હોદ્દેદારોની વરણી કરાઈ

- text


વાંકાનેર : પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા મોરબી જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની તથા ભાનુભાઈ મેતા તેમજ જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા તથા વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર વિમર્શ કરીને વાંકાનેર શહેર ભાજપ મહિલા મોરચાના વિવિધ પદ પર હોદેદારોની નિમણૂંક કરવામાં આવી છે.

જેમાં પ્રમુખ તરીકે ઝાલા પ્રજ્ઞાબા પ્રશાંતસિંહ, મહામંત્રી તરીકે ગોસ્વામી અંજનાબેન નિલેશગીરી, ઉપ પ્રમુખ તરીકે ગોહેલ ભારતીબેન અશ્વિનભાઈ અને બરાસરા ભાનુમતીબેન એન., મંત્રી તરીકે સારેસા ભાનુબેન કેશભાઈ, પરમાર રશ્મીબેન ભરતભાઈ, જાદવ મનીષાબેન જીવણભાઈ અને ચાંપબાઈના નિલમબેન ધર્મેશભાઈ, કોષાધ્યક્ષ તરીકે ડોડીયા વિજયાબેન જાદવજીભાઈની નિમણુંક કરવામાં આવી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text