મોરબીમાં ચુલે રસોઈ બનાવતા દાઝી જતા પરિણીતાનું મોત

- text


મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર ઘુતારી વાડી વિસ્તારમાં ચૂલા ઉપર રસોઈ બનાવતી વેળાએ દાઝી જતા પરિણીતાનું સારવાર દરમિયાન રાજકોટ હોસ્પિટલમાં મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી તપાસ શરૂ કરી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નવલખી રોડ ઉપર ઘુતારી વાડી વિસ્તારમાં રહેતા દયાબેન પ્રવિણભાઇ પીલુકીયા, ઉવ.૩૫નામના પરિણીતા ગત તા.16ના રોજ વહેલી સવારે પોતાના ઘેર ચૂલા ઉપર રસોઈ બનાવતા સમયે દાઝી જતા રાજકોટ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા સિટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

 

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text