વીરપર ગામે હાઇવે ઉપર નડતર થાંભલો દૂર થશે

- text


વર્ષો જૂના પ્રશ્ને ગામના જાગૃત યુવાને વીજ કંપનીને રજુઆત કરતા પીજીવીસીએલ દ્વારા સર્વે કરી નિર્ણય કરાયો

મોરબી : મોરબી – રાજકોટ હાઇવે ઉપર આવેલ વીરપર ગામે ગામમાં આવાગમનમાં વર્ષોથી વીજથાંભલો નડતરરૂપ બનતો હોય અનેક નાના-મોટા અકસ્માતો સર્જાતા ગામના જાગૃત યુવાને વીજકંપનીને રજુઆત કરતા અંતે વીજતંત્ર દ્વારા આજે તા.19ને બુધવારે આ થાંભલો હટાવવા નિર્ણય કર્યો છે.

- text

મોરબી – રાજકોટ હાઇવે ઉપર વીરપર ગામમાં પ્રવેશવાના માર્ગ ઉપર વચ્ચોવચ્ચ વર્ષોથી હેવી વીજભાર વાહન કરતી લાઈનનો થાંભલો નડતરરૂપ બનતો હોવાથી અનેક નાના-મોટા અકસ્માતો સર્જાતા વીરપર ગામે રહેતા પરાગભાઇ મુંદડીયા નામના જાગૃત યુવાને પશ્ચિમ ગુજરાત વીજકંપનીને લેખિત રજુઆત કરતા વીજ કંપની દ્વારા આ બાબતે જરૂરી સર્વે કરી આજે તા.19ના રોજ આ નડતરરૂપ થાંભલો હટાવવા નિર્ણય કરતા ગ્રામજનોએ રાહત અનુભવી છે.

 

- text