- text
મોરબી જિલ્લા કોંગ્રેસ ઓ.બી.સી. વિભાગની બેઠકમાં હોદેદારોની નિમણુંક કરાઈ
મોરબી : મોરબીમાં કોંગ્રેસ ઓ.બી.સી. ડિપાર્ટમેન્ટની બેઠક યોજાઈ હતી. જેમાં હોદેદારોની નિમણુંક કરવામાં આવી હતી. તેમજ મોરબી જિલ્લામાં વિધાનસભાની ત્રણેય બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થશે. તેવો વિશ્વાસ આ બેઠકમાં વ્યક્ત કરી જીત માટે સંકલ્પ કરવામાં આવ્યો હતો.
મોરબી જિલ્લા કોંગ્રેસ ઓ.બી.સી. પ્રમુખ રાજુભાઈ આહિરની અધ્યક્ષતામાં ગત તા. 4 ના રોજ કોંગ્રેસ કાર્યાલય ખાતે મિટિંગ યોજાઈ હતી. જેમાં મોરબી જિલ્લાના ઓ.બી.સી.ના 50 જેટલા નવા હોદેદારોને નિમણુકો આપવામાં આવી હતી.
આ તકે મોરબી જિલ્લા પ્રભારી ડો. દિનેશભાઈ પરમાર, મોરબી જિલ્લા ઓ.બી.સી. પ્રભારી પ્રવીણભાઈ મૈયડ, મોરબી જિલ્લા પ્રમુખ જેન્તીભાઈ પટેલ, લક્ષ્મણભાઈ કણઝારિયા, વિનોદભાઈ ડાભી, રમેશભાઈ રબારી તેમજ મનસુખભાઇ વાઘેલાએ હાજરી આપી હતી.
જેમાં આગામી 2022ની વિધાનસભાની ચુંટણી આવી રહી છે. તેમા મોરબી જિલ્લામાં ત્રણેય બેઠકો ઉપર કોંગ્રેસનો વિજય થશે અને તેની સાથોસાથ ગુજરાતમાં કોંગ્રેસ સતા ઉપર આવશે, તેવો વિશ્વાસ કોંગ્રેસના આગેવાનોએ વ્યક્ત કરેલ છે. તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ તમામ લોકો કે જેના કોરોના દરમિયાન અવસાન થયેલ, તેના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાય કોંગ્રેસ દ્વારા આપવામાં આવશે, તેમ કોંગ્રેસની યાદીમાં જણાવાયું છે.
- text
મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..
આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..
- text