સરકારને પેપરલીક કાંડના સૂત્રધારને પદભ્રષ્ટ કરવાની સદબુદ્ધિ મળે તે માટે સરસ્વતી યજ્ઞ

- text


મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા યોજાયો અનોખો સરસ્વતી યજ્ઞ

મોરબી : મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજે અનોખો સરસ્વતી યજ્ઞ યોજાયો હતો.જેમાં ગુજરાત ગૌણ સેવાની હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપરલીક કૌભાંડમાં જવાબદાર મુખ્ય સૂત્રધારને બરતરફ કરવા માટે સરકારને સદબુદ્ધિ મળે તે માટે આ સરસ્વતી યજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં આહુતિ હોમીને વિદ્યાર્થીઓના ભવિષ્ય ચેડાં કરનારા સામે સરકાર યોગ્ય કાર્યવાહી કરે તે માટેની ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરાઈ હતી.

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી તેમજ મોરબી શહેરની ટીમ તથા મોરબી જિલ્લા યુવા ટીમ અને મોરબી શહેર યુવા ટીમ દ્વારા આજે સરસ્વતી યજ્ઞ નું આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના કર્મનિષ્ઠ પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓએ હાજરી આપી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનાર સામે સરકાર યોગ્ય પગલા ભરે તેવી ઇશ્વર પાસે પ્રાર્થના કરવામા આવી હતી અને પેપરલીક કૌભાંડ મામલે સરકાર આશિત વોરાને પદ ઉપરથી રાજીનામું લેવામા આવે તેવી સરકારને ઈશ્વર સદબુદ્ધિ આપે તેના માટે યજ્ઞનું મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કરવામા આવ્યું હતું.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text