પેપરલીક કાંડ મામલે આજે ટંકારામાં આપ દ્વારા સરસ્વતી યજ્ઞ

- text


ટંકારા : ટંકારા તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા આજે પેપર લિક બાબતે સરસ્વતી યજ્ઞનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

આજ રોજ ટંકારા તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના હજારો વિદ્યાર્થીઓને હેડક્લાર્ક પેપરલીક કાંડમાં ન્યાય અપાવવા માટે મહર્ષિ દયાનંદ સરસ્વતી ચોક ખાતે બપોરે 4 કલાકે માતા સરસ્વતી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. જેમા તાલુકાના અનેક યુવક-યુવતીઓ હાજર રહી ન્યાય માટે બુહાર લગાવશે. જે અંગે સંગઠન પ્રમુખ નરોતમ ગોસરા એ એની યાદીમાં જણાવાયું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text