વાંકાનેરમાં કોરોનાનો દર્દી રિકવર થયો, મોરબી જીલ્લો ફરી કોરોના મુક્ત

- text


 

મોરબી : વાંકાનેરમાં તાજેતરમાં પોઝિટિવ આવેલ કોરોનાનો દર્દી રિકવર થઈ ગયો છે. આ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવી જતા તેને રજા આપવામાં આવી છે. જેથી મોરબી જિલ્લો હવે ફરી કોરોના મુક્ત જાહેર થયો છે.

- text

અગાઉ લાંબા સમયની બ્રેક બાદ મોરબી જિલ્લામાં કોરોનાના કેસો આવવાના ચાલુ થયા છે. તેવામાં આ કેસે ચિંતા વધારી હતી. પણ હવે ફરી મોરબી જિલ્લો કોરોના મુક્ત બન્યો છે. ત્યારે જિલ્લાવાસીઓને તમામ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા અપીલ કરી છે. આ સાથે વેકસીનના બીજો ડોઝ લેવામાં જે નાગરિકો બાકી રહ્યા હોય તેમને બીજો ડોઝ તાત્કાલિક લઈ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

- text