વાંકાનેરમાં યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા

- text


વૃદ્ધાશ્રમ સાથે સોસાયટીમાં બનેલ બનાવ : પોલીસ કાફલો ઘટનાસ્થળે

વાંકાનેર : વાંકાનેર શહેરના વૃદ્ધાશ્રમ સામે આવેલ સોસાયટીમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા કરી નાખવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર શહેરમાં આવેલ વૃદ્ધાશ્રમ સામે સાંજના સમયે કેશભાઈ જીવાભાઈ ધંધુકિયા ઉ.36 નામના યુવાનની કોઈ અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીકી હત્યા કરી નાખતા મૃતદેહને હાલ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે.

- text

દરમિયાન ઘટનાની જાણ થતાં જ વાંકાનેર સિટી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને હત્યાનું કારણ જાણવા અને હત્યારાની ઓળખ મેળવવા પ્રયાસો હાથ ધરી વિધિવત ફરિયાદ નોંધવા કાર્યવાહી શરૂ કરી છે.

- text