વિહિપ અને બજરંગદળ દ્વારા 251 સનાતની ભાઈઓને ત્રિશૂલદીક્ષા

- text


 

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના વડા જનરલ બિપિન રાવતને શ્રદ્ધાંજલિ અપાઇ

મોરબી:શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળની ટીમ દ્વારા 251 સનાતની ભાઈઓને ત્રિશૂલ દીક્ષા આપવામાં આવી હતી.

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની જિલ્લા ટીમના માર્ગદર્શન હેઠળ ત્રિશુળ દીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.ત્રિશૂલ દીક્ષા આપતા પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના વડા જનરલ બિપિન રાવતજી તેમજ તેમની સાથે દુર્ઘટનામાં અવસાન પામેલા જવાનોને વિશ્વ હિન્દુ પરિષદ પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.ત્યારબાદ વંદે માતરમ ગાન ગવાયું હતું અને પછી 251 સનાતની ભાઈઓને ત્રિશૂલ દીક્ષા આપી હિન્દુત્વની રક્ષા માટેના શપથ લેવડાવ્યા હતા.

- text

કાર્યક્રમમાં સહયોગ આપનાર તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- text