હળવદના ડુંગરપુર ગામે યુવક-યુવતીનો સજોડે આપઘાત

- text


 

પરિણીત યુવક અને અપરિણીત યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું અનુમાન, પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

હળવદ : હળવદના ડુંગરપુર ગામે યુવક- યુવતીએ સજોડે આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવને પગલે નાના એવા ગામમાં સોપો પડી ગયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. બનાવની જાણ થતાં જ પોલીસનો કાફલાએ ઘટના સ્થળે દોડી આવી તપાસનો દૌર શરૂ કર્યો છે.

હળવદ તાલુકાના ડુંગરપુર ગામે આજે એક સીમની ઓરડીમાં યુવક-યુવતીના ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહો મળી આવ્યા છે. પોલીસમાંથી મળતી વિગતો અનુસાર મૃતક યુવકનું નામ રઘુભાઈ રાણાભાઈ ઠાકોર છે. તેમની ઉંમર 27 વર્ષ છે અને તેઓ ડુંગરપુર ગામના રહેવાસી છે. જ્યારે યુવતીનું નામ કાજલબેન જીવણભાઈ ઠાકોર છે. તેમની ઉપર 20 વર્ષ છે અને તેઓ વાંકાનેર તાલુકાના ઓળ ગામના રહેવાસી છે.

બન્નેના મૃતદેહ મૃતક યુવકના ભાઈની સિમની ઓરડીમાંથી મળ્યા છે. હાલ પોલીસ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે યુવક પરિણીત હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. જ્યારે યુવતી અપરણિત છે. ઘટના પરથી બન્ને વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

- text

નાના એવા ડુંગરપુર ગામમાં આજે યુવક- યુવતીના સજોડે આપઘાતના બનાવથી સોપો પડી ગયો છે. આ ઘટનાની જાણ થતા જ ગામના આગેવાનો ઉપરાંત હળવદ ઇન્ચાર્જ પીઆઇ એ.એ.જાડેજા, અને ચરાડવા બીટ જમાદાર કિશોરભાઈ પટેલ ઘટના સ્થળે દોડી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે હજુ એક અઠવાડિયા પૂર્વે જ હળવદ રેલવે સ્ટેશન નજીક પ્રેમી યુગલે કોઈ કારણોસર ધસમસતી આવતી ગુડ્સ ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યો હતો. તેમાં યુવાનનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જયારે ગંભીર રીતે ઘાયલ યુવતીએ થોડા સમય બાદ દમ તોડ્યો હતો. એક અઠવાડિયા બાદ આ બીજી સજોડે આપઘાતની ઘટના બની છે.

- text