વાંકાનેરમાં કારખાનાના પહેલા માળેથી પડી જતા શ્રમિકનું મોત

- text


અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું

વાંકાનેર : વાંકાનેરમાં કારખાનાના પહેલા માળેથી પડી ગયેલા શ્રમિકનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવતા વાંકાનેર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ એમ.પી.ના વતની અને હાલ વાંકાનેર નજીક આવેલા બ્લીજાડ કારખાનામાં રહીને મજૂરી કામ કરતા કરણસીંગ ધનાભાઇ ડામોર (ઉ.વ.૫૦) નામના શ્રમિક ગત તા.૪ ના રોજ આ કારખાનાના પહેલા માળેથી પડી જતા તેઓને ઇજા થતા પ્રથમ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.જ્યાં તેમનું સારવાર દરમ્યાન તા.૫ ના રોજ મોત નીપજ્યું હતું. દરમિયાન આ બનાવના કાગળો આવતા વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ લઈ આગળની તપાસ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text