મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આવતીકાલે મોરબી ભાજપનું સ્નેહમિલન

- text


મોરબી : આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું દિવાળી સ્નેહમિલન યોજવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના આગમનને લઇ વહીવટી તંત્ર પણ દોડતું થયું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં મોરબી જીલ્લા ભાજપનો દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમ આવતીકાલે તા. 13ના રોજ શનિવારે જે. પી. ફાર્મ અજંતા કલોક સામે મોરબી – રાજકોટ હાઈવે મોરબી ખાતે રાખેલ છે. જેમાં બપોરે 3-45 કલાકે મુખ્યમંત્રીનું મંચ ઉપર આગમન થશે. બપોરે 3-45થી 3-50 વાગ્યા સુધી મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવશે. બપોરે 3-50થી 3-55 કલાક સુધી વંદે માતરમ ગાન મંજુલાબેન દેત્રોજા દ્વારા કરવામાં આવશે.

મિનિટ ટુ મિનિટ જાહેર થયેલા કાર્યક્રમ મુજબ બપોરે 3-55થી 4-05 કલાક સુધી મહેમાનોનું સ્વાગત કરાશે. બપોરે 4-05થી 4-10 કલાક સુધી શાબ્દિક સ્વાગત પ્રવચન મોરબી જીલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા કરાશે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું વિવિધ સંગઠન તથા વિવિધ સંસ્થાઓ દ્વારા 4-10થી 4-40 કલાક દરમિયાન સન્માન કરવામાં આવશે.

- text

સ્નેહ મિલનમાં સાંજે પાંચ કલાકે મુખ્યમંત્રી સભાને સંબોધન કરશે. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી અને સાંસદ વિનોદભાઇ ચાવડા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા, પ્રભારી મંત્રી દેવાભાઇ માલમ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text