ખાતરનો ભાવવધારો પાછો ખેંચવા માંગ

- text


મોરબીના અગ્રણી દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી : ખેડૂતોને પાક ઉત્પાદન માટે ઉપયોગી ખાતરનો ભાવવધારો પાછો ખેંચવા બાબતે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

આ રજુઆતમાં જણાવાયું છે કે હાલમાં ખેડૂતો દ્વારા વપરાતા ખાતરના ભાવોમાં કમરતોડ વધારો કરવામાં આવેલ છે. ખેડૂતો પહેલા અનાવૃષ્ટિ અને પછી અતિવૃષ્ટિનો ભોગ બનેલ છે. સરકાર તરફથી તેઓને યોગ્ય વળતર ચુકવવામાં આવેલ નથી અને ઉપરથી ખેડૂતોને જાણે કે મરવા માટે મજબુર કરવા હોય તેવી રીતે ખાતરના ભાવમાં વધારો કરવામાં આવેલ છે.

- text

આ ખાતરનો ભાવવધારો ખેડૂતો માટે મૃત્યઘંટ સમાન સાબિત થશે. ખેડૂતો એક તો હેરાન છે. ઉપરથી આ વધારો ખેડૂતોને વધારે પરેશાન કરનાર સાબિત થશે. ખેડૂતો પાયમાલ થઇ જશે અને સામાન્ય નાગરીકોને પણ અનાજ, શાકભાજી વગેરેમાં ભાવવધારાનો સામનો કરવો પડશે. એક તો સામાન્ય લોકો પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવવધારાથી પરેશાન છે. અને હવે અનાજ તેમજ શાકભાજીના ભાવવધારાનો ભોગ બનશે. આમ તો ચોમેર મોંઘવારીએ માજા મૂકી છે. ગરીબ તેમજ સામાન્ય લોકોને જીવનનિર્વાહ કરવું કઠિન બની ગયું છે. તેવામાં આ વધારો યોગ્ય નથી.

તો આ ખાતરનો ભાવ વધારો પાછો ખેચવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

- text