લખધીરગઢમાં બુધવારે બહુચર માતા તથા હનુમાન દાદાના મંદિરની શિલાન્યાસ વિધિ

- text


મોરબી : મોરબી જિલ્લાના લખધીરગઢ ગામમાં બુધવારે બહુચરાજી માતા તથા હનુમાનજી દાદાના મંદિરની શિલાન્યાસ વિધિ કરવામાં આવશે.

લખધીરગઢ મુકામે પનારા પરિવાર દ્વારા બહુચરાજી માતા તથા હનુમાનજી દાદાના મંદિરની શિલાન્યાસ વિધિ તા. 20ને બુધવારના રોજ રાખવામાં આવેલ છે. જેમાં શિલાન્યાસ વિધિ પુજન સવારે 7થી 10 કલાક સુધી અને ભોજન સમારંભ બપોરે 11-30 કલાકે વેલીબા સમાજવાડી ખાતે રાખેલ છે. શિલાન્યાસ વિધિ પ્રસંગે અયોધ્યાના શ્રીરામ વલ્લભકુંજ આશ્રમના મહંત રાજકુમારદાસ મહારાજ ઉપસ્થિત રહેશે. વધુ વિગત માટે દેવેન્દ્રભાઈ પનારાનો મો. 98252 38170 પર સંપર્ક કરી શકાશે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text