હળવદ માર્કેટ યાર્ડ આવતીકાલથી બે દિવસ માટે બંધ રહેશે

- text


હળવદ : આવતી કાલે આઠમ અને નોમ સાથે હોય તેમજ શુક્રવારે દશેરા હોય જે નિમિત્તે હળવદ માર્કેટ યાર્ડ આવતીકાલથી બે દિવસ માટે બંધ રહેશે જેની ખેડૂતો,કમિશન એજન્ટ અને વેપારીઓએ નોંધ લેવા માર્કેટયાર્ડ દ્વારા જણાવાયું છે.

હાલ પવિત્ર નવરાત્રી ચાલી રહી છે હળવદ માર્કેટ યાર્ડમાં પણ મગફળી, કપાસ સહિતના પાકની ધીમે ધીમે આવક વધી રહી છે ત્યારે આવતીકાલે ગુરુવારે આઠમ અને શુક્રવારે દશેરા કોઈ જેથી હળવદ માર્કેટ યાર્ડ માં બે દિવસ માટે હરરાજી કાર્ય બંધ રાખવાનો નિર્ણય માર્કેટયાર્ડ દ્વારા કરવામાં આવ્યો છે. જેની ખેડૂતોએ, વેપારીઓએ અને કમિશન એજન્ટોએ નોંધ લેવા માર્કેટયાર્ડ દ્વારા જણાવાયું છે.

વધુ માર્કેટયાર્ડના સેક્રેટરી મહેશભાઇ પટેલએ જણાવ્યું હતું કે શુક્રવાર સાંજથી મગફળી સિવાયની તમામ જણસીની આવક લેવામાં આવશે. જ્યારે મગફળીની આવક શનિવારે સવારે પાંચ વાગ્યા થી નવ વાગ્યા સુધીમાં જ લેવામાં આવશે વધુમાં એ પણ જણાવ્યું હતું કે, માર્કેટયાર્ડમાં હરરાજી કાર્ય ચાલુ થયા બાદ કોઈપણ જણસ લેવામાં આવશે નહીં.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text