એસિડ ગટગટાવી લેનાર વૃદ્ધનું સારવાર દરમિયાન મોત

- text


ટંકારા તાલુકાના કલ્યાણપુર ગામના પાટીયા પાસેની ઘટના

ટંકારા : ટંકારા તાલુકાના કલ્યાણપુર ગામના પાટીયા પાસે એસિડ ગટગટાવી લેનાર મોરબીના વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની ટંકારા પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

ટંકારા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી-૨ માં આવેલ ઉમા ટાઉનશીપ શાંતિ પ્લોટ ખાતે રહેતા વલ્લભભાઇ ઠાકરશીભાઇ ડઢાણીયા (ઉ.વ.૬૮) નામના વૃદ્ધે ગઈકાલે તા.૧૬ ના રોજ ટંકારાન કલ્યાણપુર ગામના પાટીયા પાસે અગમ્ય કારણોસર એસીડ પી લીધું હતું. આથી તેઓને તાકીદે ટંકારાની સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

- text

ટંકારા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની આગળની તપાસ ટંકારાના સી-બીટ ઇન્ચાર્જ પો.હેડ.કોન્સ. આઇ.ટી.જામ ચલાવી રહ્યા છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text