પરિણીતાને મરવા મજબૂર કરનાર પતિ-સસરા સામે ફરિયાદ

- text


હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં ત્રણ દિવસ પહેલા પરિણીતાના આપઘાત કેસમાં તેણીના પિતાએ નોંધાવી ફરિયાદ

હળવદ : હળવદ શહેરમાં આવેલ પંચમુખી ઢોર વિસ્તારમાં ગત તારીખ ૨૮/૮ના રોજ પરણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લિધાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં મૃતક પરણીતાના પીતાએ હળવદ પોલીસ મથકે પતિ અને સસરા વિરૂધ્ધ પોતાની દિકરીને મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

બનાવની પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ ગત તારીખ 28ના રોજ મોડી સાંજે હળવદ શહેરમાં આવેલ પંચમુખી ઢોરા વિસ્તારમાં રહેતા કિંજલબેન દલવાડી ઉંમર વર્ષ 21 નામની પરિણીતાએ ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી

- text

જે બનાવમાં મૃતક પરિણીતાના પિતા પ્રેમજીભાઈ અમરશીભાઈ કણજરીયાએ આજરોજ હળવદ પોલીસ મથકમાં તેમની દીકરીને તેના પતિ રમેશભાઈ રૂગનાથભાઈ દલવાડી અને સસરા રૂગનાથભાઈ નરસીહભાઈ પિયર ન આવવા દેતા હોય તેમ જ ખોટી શંકા વહેમ રાખી શારિરીક અને માનસિક ત્રાસ આપી મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા બંને આરોપીઓને ઝડપી લેવા આગળની તપાસ હાથ ધરી છે

હળવદ પોલીસ મથકમાં તેમની દીકરીને તેના પતિ રમેશભાઈ રૂગનાથભાઈ દલવાડી અને સસરા રૂગનાથભાઈ નરસીહભાઈ પિયર ન આવવા દેતા હોય તેમ જ ખોટી શંકા વહેમ રાખી શારિરીક અને માનસિક ત્રાસ આપી મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા બંને આરોપીઓને ઝડપી લેવા આગળની તપાસ હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text