કૃષ્ણ જન્મોત્સવ સામે કોરોના ઝાંખો પડ્યો : હળવદ ગોકુળમય બન્યું

- text


કૃષ્ણ જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

હળવદ: આજરોજ ભગવાન શ્રી કૃષ્ણની જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે છોટાકાશી ગણાતાહળવદ નગરીમાં વર્ષોથી નીકળતી વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી શોભાયાત્રામાં ભક્તિભાવથી અને ધામધૂમ પૂર્વક રાધાકૃષ્ણ મંદિર મોરબી દરવાજા ખાતેથી નીકળી હતી અને કોરોના મહામારીના કારણે દર વખતે નીકળતી શોભાયાત્રાના રુટને ટૂંકાવી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે સમાપન કરવામાં આવી હતી.

કોરોના મહામારીની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ સીમિત ભક્તોની હાજરી હોવા છતા હાજર ભાવિક ભક્તોએ “નંદ ઘેર આનંદ ભયો,જય કનૈયા લાલ કી” હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકી” આજનો દિવસ કેવો છે … …. સોના કરતા મોંઘો છે …….. સોના કરતા મોંઘું શુ … કાનુડાની મૂર્તિ”… ના નાદથી હળવદની મુખ્ય બજારો કૃષ્ણમય બની હતી.

આ શોભાયાત્રામાં જન્માષ્ટમી શોભાયાત્રા સમિતિના અધ્યક્ષ ડૉ. મિલનભાઈ માલમપરા, બજરંગ દળના ગુજરાત પ્રદેશ સંયોજક ભાવેશભાઈ ઠકકર, ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, જિલ્લા ભાજપ મહામંત્રી, રણછોડભાઈ દલવાડી, હળવદયાર્ડના પુર્વચેરમેન જશુભાઈ પટેલ, બીપીનભાઈ દવે, ધીરુભા ઝાલા, વિશ્વ હિન્દુ પરિષદ હળવદના અધ્યક્ષ ઈશ્વરભાઈ દલવાડી, રશ્મિનભાઈ દેથરીયા બજરંગદના સંયોજક વિજયભાઇ ભરવાડ, અજયભાઈ રાવલ વિજયભાઈ જાની, રમેશભાઈ પટેલ, કેતનભાઈ દવે, વાસુભાઈ સીણોજીયા, જીલ્લા યુવા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે સહિતના રાજકીય અને સામાજિક અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text

શોભાયાત્રામાં ઢોલ નગરા સહિત ઉત્સાહ પૂર્વક શ્રી કૃષ્ણ જન્મની ઉજવણી કરવામાં આવી હતી. આ શોભાયાત્રાને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text