હળવદમાં પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


હળવદ : હળવદના પંચમુખી ઢોરો વિસ્તારમાં રહેતી પરિણીતાએ ગઈકાલે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની હળવદ પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના પંચમુખી ઢોરો વિસ્તારમાં રહેતી કિંજલબેન રમેશભાઇ રાઠોડ (ઉ.વ.૨૧) નામની પરિણીતાએ ગઈકાલે તા.૨૮ ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા તેણીનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, મૃતક કિંજલબેન રમેશભાઇ રાઠોડ વાળી આશરે છએક વર્ષ પહેલા ભાગી ગયેલ અને તેનો લગ્ન ગાળો આશરે બે વર્ષનો છે. તેણી તેના પતિ સાથે સાસરીયામા રહેતી હોય જે કોઇપણ કારણોસર તેના પતિના ઘરે દરવાજા પાસે ઉપરના લાકડા સાથે દુપટ્ટો બાંધી પોતાની જાતે ગળે ફાસો ખાઇ લીધો હતો. આ બનાવ અંગે હળવદ પોલીસે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text