પત્નીના મૃત્યુ બાદ બાળકોની ચિંતામાં યુવાને વખ ઘોળ્યું

- text


હળવદના વેગડવાવ ગામે યુવાનના આપઘાતથી તેના બાળકો નોંધારા બન્યા

હળવદ : હળવદના વેગડવાવ ગામે યુવાને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનની પત્નીનું અગાઉ અવસાન થયું હોય અને પોતાના નાના બાળકોની ચિંતામાં આપઘાત કરી લીધાનું બહાર આવ્યું છે.

- text

આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના જુના વેગડવાવ ગામે રહેતા ડુંગરભાઈ ઉર્ફે સિધાભાઇ રણછોડભાઇ જખવાડીયા (ઉ.વ.૪૨) એ ગઈકાલે તા.૧૬ ના રોજ એક દોઢ વાગ્યાના અરસામા વેગડવાવ ગામની સિમમા આવેલ પોતાની વાડીએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ મૃતકના પત્નિનું અગાઉ અવસાન થયું હોય અને છોકરાઓ નાના હોય જેથી મૃતક ટેન્શનમા રહેતો હોવાથી પોતાની જાતે ઝેરી દવા પી જતા તેનું મોત નીપજ્યું હતું. માતાના અવસાન બાદ પિતાએ પણ અનંતની વાટ પકડતા તેના બાળકો નોંધારા બની ગયા છે. આ ઘટનાથી ભારે અરેરાટી મચી ગઇ છે. આ બનાવની વધુ તપાસ હળવદના પો.હેડ.કોન્સ. બી.એમ.આલ ચલાવી રહ્યા છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text