મોરબી : આજે વધુ 63 દર્દી સાજા થયા, ફાયરે 13 દર્દીઓની કોરોના ગાઈડલાઈન મુજબ અંતિમવિધિ કરી

- text


મોરબી જિલ્લામાં આજે 104 નવા કેસ જાહેર કરાયા : સરકારી વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 5583 કેસમાંથી 4360 સાજા થયા

જ્યારે આજે સરકારી આંકડા મુજબ વધુ 1 દર્દીના મૃત્યુ સાથે કુલ 341ના મોત, એક્ટિવ કેસ વધીને 882

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાની બેકાબુ સ્થિતિ વચ્ચે પણ સરકારી તંત્રએ કોરોનાના આંકડા છુપાવાનો ખેલ ચાલુ જ રાખ્યો છે. જોકે આજે તંત્રએ વાસ્તવિક આંકડા નજીક કેસ દર્શાવવાનું શરૂ કર્યું હોય તેમ 04 મેં, મંગળવારે સરકારી તંત્રએ જાહેર કરેલ વિગત મુજબ આરોગ્ય વિભાગ દ્વારા કુલ 1886 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી માત્ર કુલ 104 વ્યક્તિના રિપોર્ટ જ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે. જોકે મોરબી જિલ્લામાં કોરોનાના કેસોનો વાસ્તવિક આંકડો ખૂબ જ મોટો હોવાનું મનાઈ રહ્યું છે. ત્યારે સરકારી આંકડાની માયાજાળમાં પડ્યા વગર લોકો કોરોના બાબતે વધુ જાગૃત થાય તે અત્યંત જરૂરી છે.

જ્યારે આજે મોરબી જિલ્લામાં સરકારી આંકડા મુજબ એક કોરોના દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. જ્યારે તંત્રએ આજે એક પણ કોવિડ ડેથ જાહેર કર્યા નથી.

- text

જ્યારે મૃતકોની કોરોના ગાઈડલાઈન મુજબ અંતિમવિધિ કરતી મોરબીની ફાયર વિભાગની ટીમ દ્વારા આજે કુલ 13 મૃતકોની અંતિમવિધિ કરવામાં આવી હતી. આમ તંત્ર દ્વારા મૃત્યુના આંકડા પણ છુપાવવાનો હીન પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

સરકારી વિભાગે જાહેર કરેલા આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી : 31
મોરબી ગ્રામ્ય : 47
વાંકાનેર સીટી : 00
વાંકાનેર ગ્રામ્ય : 01
હળવદ સીટી : 04
હળવદ ગ્રામ્ય : 07
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 12
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 02
આજના જિલ્લાના કુલ નવા કેસ : 104

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

મોરબી તાલુકામાં : 28
વાંકાનેર તાલુકામાં : 10
હળવદ તાલુકામાં : 14
ટંકારા તાલુકામાં : 08
માળીયા તાલુકામાં : 03
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 63

આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત

કુલ એક્ટિવ કેસ : 882
કુલ ડિસ્ચાર્જ કેસ : 4360
મૃત્યુઆંક : 80 (કોરોનાના કારણે) 261 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 341
કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 5583
અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 266070


 

- text