- text
મોરબી : મોરબીમાં કોરોનાનો કહેર વધી રહ્યો હોય સામે જરૂરી ચીજ વસ્તુઓની માંગ વધવાથી તેના ભાવ પણ વધી રહ્યા છે. આવી જ રીતે લીલા નાળીયેરના ભાવ પણ વધી ગયા હોય વોર્ડ નં.9ના કાઉન્સિલર દ્વારા તેનું રાહતદરે વિતરણ કરાઇ રહ્યું છે.
- text
મોરબીમાં લીલા નાળિયેરની આવક ઓછી હોય અને ભાવ વધારે હોવાથી મોરબીના વોર્ડ નંબર 9 ના નગરપાલિકાના કાઉન્સિલર શૈલેષભાઇ માકાસણા દ્વારા રાહત ભાવે લીલા નાળિયેરનું પંચાસર રોડ પર વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ સેવાકાર્યમાં કમલેશભાઈ કૈલા, અશ્વિનભાઈ અમૃતિયા, પોપટભાઈ ગોળાવાળા, હકાભાઈ વ્યાસ, રમેશભાઈ વડાવિયા સહીતના લોકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
- text