લજાઇમાં જોગ આશ્રમ સમિતિ દ્વારા ઉકાળાનું વિતરણ કરાયું

- text


ટંકારા : હાલમા કોરોનાની ભયંકર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ટંકારા તાલુકાના લજાઇ ગામે જોગ આશ્રમ ખાતે જોગ આશ્રમ સમિતિ દ્વારા શરદી, ઉધરસ અને તાવથી બચવા માટે આયુર્વેદિક ઉકળા વિતરણનું આયોજન કરેલ હતું. જેમાં આશરે 200 લીટર ઉકાળો બનાવીને તેનું ઘરે-ઘરે જઈને વિતરણ કરેલ હતું. વિવિધ પ્રકારની વનસ્પતિ અને આયુર્વેદિક ઔષધિઓનો ઉકાળો બનાવવામાં લજાઇ ગામના ડો. વલ્લભભાઈ વામજાના માર્ગદર્શન હેઠળ આશ્રમના તમામ સભ્યોએ કામગીરી સંભાળીને આ સેવારૂપી કાર્યને સફળ બનાવ્યું હતું.

- text

 

- text