માળિયાના ખાખરેચી ગામમાં પાંચ દિવસનું સંપૂર્ણ લોકડાઉન

- text


 

સવારે 8થી 11 ત્રણ કલાક જ જીવન જરૂરિયાત ચીજવસ્તુઓની દુકાન ખુલ્લી રહેશે

માળિયા : માળિયાના ખાખરેચી ગામે કોરોનાએ કહેર મચાવ્યો છે. ઓચિંતા કેસમાં ધરખમ વધારો નોંધાતા સમસ્ત ગામે જાગૃતિ દાખવી પાંચ દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર કરી દીધું હોવાનું જાણવા મળ્યું છે.

માળિયાનું નાનું એવુ ખાખરેચી ગામ કોરોનાના ભરડામાં આવી ગયું છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં કોરોનાના કેસ આવી રહ્યા છે. પણ સરકારી ચોપડે આ કેસ દર્શાવવામાં આવી ન રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે. હાલ બેફામ બનેલા કોરોનાના સંક્રમણને રોકવા માટે સમસ્ત ગામે જહેમત શરૂ કરી છે.

- text

ખાખરેચી ગ્રામ પંચાયત દ્વારા કોરોનાની ચેઇનને તોડવા માટે સત્તાવાર રીતે પાંચ દિવસના સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ગ્રામપંચાયતના જાહેર કર્યા મુજબ ગામમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓની દુકાન માત્ર સવારે 8થી 11 દરમિયાન જ ખોલી શકાશે. દવાખાના તેમજ મેડિકલ સેવા અને અતિ આવશ્યક સેવા ચાલુ રાખી શકાશે.

- text