વાંકાનેર નજીક બે બાઈક વચ્ચે ટક્કરમાં એકનું મોત

- text


મૃતકના ભત્રીજાની ફરિયાદ સંદર્ભે અજાણ્યા મોટરસાયકલ ચાલક સામે ગુન્હો નોંધાયો

વાંકાનેર : વાંકાનેર નજીક જેતપરડા ગામના પાદરમાં બે બાઈક વચ્ચેના અકસ્માતમાં એક બાઈક ચાલકને ગંભીર ઇજા થવાથી તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે મૃતકના ભત્રીજાએ અજાણ્યા મોટરસાયકલ ચાલક સામે ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે અજાણ્યા મોટરસાયકલ ચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ઇન્દ્રજીતસિંહ વનરાજસિંહ ઝાલા (ઉવ.૩૨ ધંધો ખેતી રહે જેતપરડા તા.વાંકાનેર)એ એક અજાણ્યો મોટરસાયકલના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૭ ના રોજ ફરીયાદીના કાકા રાજેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા ઉવ.૫૦ વાળા પોતાનું મોટર સાયકલ નં.GJ-03-HL-2045નું લઇને જેતપરડા ગામ તરફ જતા હતા ત્યારે સામેથી એક અજાણ્યો મોટર સાયકલ ચાલક પોતાના હવાલાવાળુ મોટર સાયકલ પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી સાહેદ રાજેન્દ્રસિંહના મોટર સાયકલ સાથે સામેથી ભટકાડતા અકસ્માત સર્જાતા રાજેન્દ્રસિંહને માથામાં ગંભીર હેમરેજ જેવી ઇજા થતા ચાલુ સારવાર દરમ્યાન બેભાન હાલતમા તેમનું મોત નીપજ્યું હતું.આથી આ બનાવની ફરિયાદ નોંધીને વાંકાનેર પોલીસે ફરાર આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text