મોરબીમાં ચારિત્ર્ય વિશે ટીકા કરવા મામલે પરિણીતાને માર માર્યો

- text


ટંકારાની મહિલાએ માર મારી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ

મોરબી : મોરબી તાલુકાના જુના વનાળીયા ગામે પરિણીતાના ચારિત્ર્ય વિશે ટીકા કરીને ટંકારાની મહિલાએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી અપયાનો બનાવ પોલીસ મથકે પહોંચ્યો હતો.આ બનાવ અંગે પરિણીતાએ ટંકારાની મહિલા સામે માર મારી ધમકી આપ્યાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી અમીતાબેન ગૌતમભાઈ આંબલિયા (રહે, શાંતીનગર સોસાયટી ની બાજુમા નવી પીપળી તા.મોરબી) એ આરોપી ગીતાબેન મનશુખભાઈ વાઘેલા (રહે, ટંકારા) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૯ ના રોજ મોરબી તાલુકાના જુના વનાળીયા ગામે ફરીયાદી બહેનને આરોપી બહેને ફરીયાદી બહેનના ચારીત્ર વીશે એલફેલ બોલી તેમજ ગાળો આપી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text