સાસરામાં પત્નિને કોઈપણ માર મારે તો પતિ જવાબદાર

- text


સુપ્રિમ કોર્ટનો મહત્વનો ફેંસલો : કોર્ટે આરોપી પતિની આગોતરા જામીન અરજી ફગાવી

નવી દિલ્હી :. પોતાની પત્નિની ધોલાઈના આરોપી વ્યકિતની સુપ્રિમ કોર્ટે ધરપકડથી પહેલા જામીન આપવાનો ઈન્કાર કર્યો છે. અદાલતે જણાવ્યુ છે કે, જો સાસરા પક્ષમાં મહિલાને માર મારવામાં આવે તો તેને થયેલી ઈજા માટે મુખ્યત્વે તેનો પતિ જવાબદાર રહેશે ભલે પછી સગાવ્હાલાઓએ માર માર્યો હોય. અદાલત જે શખ્સની અરજી પર સુનાવણી કરી રહી હતી તે તેના ત્રીજા લગ્ન હતા અને મહિલાના બીજા.લગ્નના એક વર્ષ બાદ ૨૦૧૮માં તેઓને એક બાળક થયુ હતું. ગયા વર્ષે જૂનમાં મહિલાએ લુધીયાણા પોલીસમાં પતિ અને સાસરા પક્ષવાળાઓ સામે ફરીયાદ નોંધાવી હતી. મહિલાનો આરોપ હતો કે દહેજની વધતી માંગણી પુરી ન કરી શકવા બદલ તેને તેના પતિ, સસરા અને સાસુએ ખૂબ માર માર્યો હતો.

- text

સુપ્રીમ કોર્ટમાં પતિના વકીલ કુશાગ્ર મહાજને આગોતરા જામીન પર ભાર મુકયો તો મુખ્ય ન્યાયધીશ બોબડેના નેતૃત્વવાળી બેન્ચે કહ્યુ હતુ કે તમે કયા પ્રકારના મર્દ છો ? તેની પત્નિનો આરોપ છે કે તમે ગળુ દાબી તેનો જીવ લેવાના હતા. તેનુ એમ પણ કહેવુ છે કે તમે પરાણે ગર્ભપાત પણ કરાવ્યો હતો. તમે કયા પ્રકારના મર્દ છો કે પત્નિને ક્રિકેટના બેટથી માર મારો છો.જ્યારે વકીલ મહાજને કહ્યુ હતુ કે મારા કલાયન્ટના પિતાએ બેટથી મહિલાની પીટાઈ કરી હતી તો અદાલતે કહ્યુ હતુ કે આનાથી ફર્ક નથી પડતો કે તમે પતિ હતા કે તેના પિતા હતા કે જેમણે કથીત રીતે બેટથી તેમની ધોલાઈ કરી હતી. જ્યારે સાસરા પક્ષમા મહિલાને યાતના આપવામાં આવે છે તો મુખ્યત્વે જવાબદારી પતિ જ ગણાય.

- text