ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના ટ્રસ્ટી પદે ગોવિંદભાઇ વરમોરાની વરણી

- text


મોરબી : કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝાની કારોબારી સભામાં નવા ટ્રસ્ટી મંડળની વરણી ૩ વર્ષ માટે કરવામાં આવી હતી. જેમાં મોરબીના ઉદ્યોગપતિ પટેલ ગોવિંદભાઈ ગણેશભાઈને ટ્રસ્ટી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે આ વરણીને મોરબી પાટીદાર સમાજ અગ્રણીઓ અને સિરામિક ઉદ્યોગપતિઓએ આવકારી છે. નોંધનીય છે કે ગોવિંદભાઇ વરમોરા ઊંઝા મંદિર લક્ષચંડી મહાયજ્ઞના મુખ્ય યજમાન રહી ચુક્યા છે તેઓ ઉમિયા મંદિર સીદસર, સમસ્ત પાટીદાર સમાજ સુરત, શ્રી સરદાર ધામ, વિશ્વ પાટીદાર કેન્દ્ર સહિતની સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે કાર્યરત છે. તેમજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્લેટીનીયમ દાતા ટ્રસ્ટી તરીકે પણ કાર્યરત છે.

- text