નવલખી બંદરે રૂ. 192 કરોડના ખર્ચે નવી જેટ્ટી બનાવાશે : બજેટ ભેટ

- text


મોરબી : રાજ્ય સરકાર દ્વારા આજે જાહેર કરાયેલ બજેટ મોરબી જિલ્લા માટે રૂ. 309 કરોડના ખર્ચે બે મહત્વના માર્ગોને ચારમાર્ગીય બનાવવાની યોજના જાહેર કરવાની સાથે-સાથે નવલખી બંદરે રૂ.192 કરોડના ખર્ચે નવી જેટી બનાવવા પણ જાહેરાત કરવામાં આવી છે.

- text

રાજ્યના નાણામંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે વર્ષ 2021-22 માટે બજેટ જાહેર કર્યું હતું જેમાં મોરબી જિલ્લાના મહત્વપૂર્ણ ગણાતા નવલખી બંદરની માળખાકીય સુવિધાઓ વિકસાવવાની સાથે નવી જેટી બનાવવા માટે રૂ.192 કરોડની જોગવાઈ કરવામાં આવી હોવાનું જાહેર કરાયું હતું.

 

- text