કડીયા કામ દરમિયાન લાકડાના માળા પરથી પડી જતા આધેડનું મોત

- text


મોરબી : મોરબીમાં રહેતા એક આધેડ લાકડા બાંધેલ માળા પરથી પડી જતા તેમનું મોત થયું છે. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

મોરબીમાં પંચાસર ચોકડી નજીક મહાવીરનગરમાં રહેતા 53 વર્ષીય કેશવજીભાઇ મીઠાભાઇ નકુમ ગઈકાલે તા. 7ના રોજ વીશીપરામાં કડિયાકામ કરતા હતા. ત્યારે લાકડા બાંધેલ માળા પરથી પડી જતા ઇજા થઇ હતી. આથી, તેની સાથેના દાઉદભાઇ જુસબભાઇ સુમરા (રહે. મોરબી) તેમને પ્રથમ મોરબીમાં ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરએ કેશવભાઈને મૃત્યુ પામ્યા હોવાનું જાહેર કરતા દાઉદભાઇ કેશવભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં લઇ ગયા હતા.

- text

- text