નાની વાવડીમાં વેપારીના આપઘાત કેસમાં ત્રણ સામે મરવા મજબૂર કર્યાની ફરિયાદ

- text


ધંધા માટે હાથ ઉછીના લીધેલા પૈસા પરત ન ચૂકવી શકતા સતત ધાકધમકીથી કંટાળીને વેપારીએ ગળેફાંસો ખાઈ લીધો હતો

મોરબી : મોરબીના નાની વાવડી ગામે થોડા દિવસો પહેલા ફરસાણના વેપારીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ કેસમાં મૃતકની પત્નીએ ત્રણ શખ્સો સામે પોતાના પતિને મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી છે. જેમાં ધંધા માટે હાથ ઉછીના લીધેલા પૈસા પરત ન ચૂકવી શકતા સતત ધાકધમકીથી કંટાળીને વેપારીએ ગળેફાંસો ખાધો હતો.

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના નાની વાવડી ગામે આવેલ ન્યુ ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા અને ગામમાં જ ગજાનંદ ફરસાણ માર્ટની દુકાન ધરાવતા રાકેશભાઈ શેઠ નામના વેપારીએ ગત તા.૨૮ ના રોજ પોતાની દુકાનમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

આ આપઘાત કેસમાં વેપારીના પત્ની દિપાલીબેન રાકેશભાઈ શેઠએ આરોપીઓ અમિત હસુભાઈ વ્યાસ, સુરેશ નંદલાલ ધામેચા દરજી, નેમિશ હરીશભાઈ માવડીયા સામે ફરિયાદ નોંધાવી હતી કે આરોપીઓએ ફરીયાદીના પતિને ધંધા માટે હાથ ઉછીના પૈસા આપેલ હોય અને તે પૈસા ફરીયાદીના પતિ પાછા આપી શકેલ ન હોય. જેથી, આરોપીઓએ પોતાના પૈસા પાછા આપવા બાબતે ફોનમા તેમજ રુબરુમાં ધાકધમકી આપી તેમજ બિભત્સ ગાળો આપતા ફરીયાદીના પતિને મરી જવા મજબુર કરતા આરોપીઓના ત્રાસના કારણે ફરી.ના પતિ કંટાળી જતા પોતાની રીતે દુકાનમાં ગળેટુપો ખાઈ લીધો હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

- text