ઇશ્વરનગર ગામે પતિએ વતન જવાની ના પાડતા ઝેરી દવા પીને પત્નીએ જીવન ટૂંકાવ્યું

- text


હળવદ : હળવદ તાલુકાના ઇશ્વરનગર ગામે પતિએ વતન જવાની ના પાડતા ઝેરી દવા પીને પત્નીએ આપઘાત કરી લીધો છે. હળવદ પોલીસ સ્ટેશનમાં આ બનાવ અંગે નોંધ કરવામાં આવી છે.

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડણી ગામના વતની તથા હાલ ઇશ્વરનગર ગામમાં હસમુખભાઇ પટેલની વાડીએ રહેતા અલ્પેશભાઇ કરશનભાઇ રાઠવાના પત્ની જમનાબેન (ઉ.વ. 22)એ ગઈકાલે તા. 30ના રોજ વાડીએ ઝેરી દવા પી લીધી હતી. આથી, તેને 108 એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર માટે હળવદની સરકારી હોસ્પીટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા.

પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન જમનાબેનને વતનમાં જવુ હતું. પણ તેના પતિએ વતનમાં જવાની ના પાડતા માઠુ લાગી આવતા તેને મોત વ્હાલું કર્યું હોવાનું ખુલ્યું હતું. ઉલ્લેખનીય છે કે મૃતકના લગ્નને 6 માસ જેટલો સમયગાળો થયો છે. હાલ પોલીસ બનાવની વધુ તપાસ કરી રહી છે.

- text

- text