મોરબી : સીટીઝન્સ ક્રેડિટ કો-ઓપ. સોસા. દ્વારા ગૌસેવા કરતી સંસ્થાઓને કુલ રૂ. 2.55 લાખનું દાન

- text


મોરબી : મોરબી સીટીઝન્સ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી લી. દ્વારા તેમના ધર્માદા ફંડમાંથી રૂ. 2,55,000ની રકમ મોરબી જિલ્લાની પાંચ સેવાકીય સંસ્થાઓને દાન આપવામાં આવેલ છે. જેમાં મોરબીના યદુનંદન ગૌ-સેવા ટ્રસ્ટ, પંચમુખી હનુમાનજી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, મોરબી પાંજરાપોળ, ટંકારા પાંજરાપોળ ટ્રસ્ટ તેમજ ખાખરેચી પાંજરાપોળ ટ્રસ્ટને રૂ. 51-51 હજાર એટલે કે કુલ રૂ. 2.55 લાખ ધર્માદા પેટે આપવામાં આવેલ છે. આ આર્થિક સહાય સંસ્થાઓની સેવાકીય તથા ગૌ-સેવાની પ્રવૃતિ માટે આપવામાં આવેલ છે, તેમ મંત્રી-મેનેજર યુવરાજસિંહ જાડેજા અને પ્રમુખ મનોજકુમાર દેસાઈએ યાદીમાં જણાવેલ છે.

- text

 

- text