મોરબી : ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું આવતીકાલ ગુરુવારે સવારે ઉદ્ધાટન

- text


મોરબી : 65 મોરબી-માળીયા વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણી માટે આવતીકાલે બીજેપીએ નગારે ઘા કર્યો છે. બીજેપીએ મોરબી શહેરમાં મધ્યસ્થ કાર્યાલયનું સવારે ઉદ્ઘાટન રાખ્યું છે જેમાં સરકારી ગાઈડલાઇન્સ પ્રમાણે સોશિયલ ડિસ્ટનસનું પાલન કરતા ચુનિંદા કાર્યકરોને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવી દીધું છે.

- text

આવતી કાલે 65 મોરબી-માળીયા વિધાનસભા ક્ષેત્રના પેટા ચૂંટણીના બીજેપીના ઉમેદવાર બ્રિજેશ મેરજા બપોરે 12:39 કલાકે વિજય મહુર્તમાં ફોર્મ ભરવા જઈ રહ્યા છે એ પહેલાં સવારે 9.30 કલાકે મોરબીમાં શનાળારોડ સ્થિત આશાપુરા ટાવર, સુપર માર્કેટ સામે મોરબી બેઠકના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. મંત્રી સૌરભભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાતીત થનાર આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારીયા, આઈકે જાડેજા, સૌરભભાઈ પટેલ સહિતના ભાજપના દીગગ્જ નેતાઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત સામાકાંઠા વિસ્તારમાં તથા રવાપર રોડ સ્થિત નાગરિક બેન્કની બાજુમાં બે વિભાગીય કાર્યાલયોના પણ ઉદ્ઘાટન થશે. આ કાર્યક્રમમા તાલુકાના તમામ હોદ્દેદારો, વિવિધ મોરચાના કાર્યકર્તાઓ, બુથ પ્રમુખો, તમામ સ્વૈછીક સંસ્થાઓ અને વિવિધ સંગઠનોના હોદ્દેદારો ઉપસ્થિત રહેનાર હોવાનું જાણવા મળ્યું છે.

 

- text