મોરબી જાગૃત મતદાર મંચ દ્વારા લોકશાહી બચાવો પદયાત્રાનું આયોજન

- text


 

મોરબી : મોરબી શહેરમાં મતદારોની જન જાગૃતિ અર્થે મોરબી જાગૃત મતદાર મંચ દ્વારા લોકશાહી બચાવો પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.આ લોકશાહી બચાવો પદયાત્રા આગામી 5 જુલાઈના રવિવારે ગુરુપૂર્ણિમાના પાવન અવસરે સવારે 8 વાગ્યે નીકળશે અને મોરબી શહેરના તમામ 13 વોર્ડમાં લોકશાહી બચાવો પદયાત્રા ફરશે અને શહેરીજનોને લોકશાહીના પાયાના મૂલ્યોને જીવંત રાખવા અંગે માહિતગાર કરીને જાગૃત કરવાનો પ્રયાસ કરાશે. તેમ લોકશાહી બચાવો પદયાત્રાના આયોજક મનોજભાઈ પનારાએ જણાવ્યું છે.

- text