નાની વાવડીમાં યુગલ સાદાઈપૂર્વક લગ્નગ્રંથીથી જોડાયું

- text


મોરબી : હાલમાં કોરોના વાયરસના પગલે પ્રસંગો કે મોટા આયોજનો કરવા પર પ્રતિબંધ છે. લગ્નપ્રસંગ પણ નિર્ધારિત સંખ્યામાં લોકોની હાજરીમાં કરવાનો નિયમ છે. ત્યારે આજે તા. 23ના રોજ મોરબી તાલુકાના નાની વાવડી ગામમાં રહેતા પડસુંબિયા વસરામભાઇ ત્રીકમજીભાઇના પુત્ર બિપીનકુમારના લગ્ન મોરબી નિવાસી ધર્મેશભાઇની પુત્રી રાજવી સાથે ટંકારા આર્ય સમાજની વિધિ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યા હતા. આ લગ્ન ફક્ત 20 લોકોની હાજરીમાં રાખવામાં આવ્યા હતા. તેમજ માત્ર ચા-નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ, કોરોનાથી સાવચેતીના ભાગરૂપે નાની વાવડીમાં યુગલ સાદાઈપૂર્વક લગ્નગ્રંથીથી જોડાયું હતું.

- text