મોરબી : કેનાલોમાં પાણી છોડતા ગામડાંઓમાં તળાવો ભરાશે

- text


મોરબી : નર્મદા સૌની યોજનાની પાઇપ લાઇન દ્વારા વીરપર, લજાઈ, પંચાસર, બગથળા, બિલિયા સહિતના મોરબીના ગામોમાં પાણી પહોંચશે. ખેતીની જમીનમાં સિંચાઇ માટે પાણી છોડાતા ખેડૂતોને મોટી રાહત મળી હતી. સાંસદ મોહનભાઈ કુંડારિયા દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને આ બાબતે રજુઆત કરેલ હતી. તે અંગેનો તુરંત પાણી છોડવાનો આદેશ થત્તા પાણી ચાલુ કરવામાં આવેલ છે. જેથી, તેઓની રજૂઆત ફળી હતી. દૂર્ભજીભાઈ દેથરીયા સૌની યોજનાના કાર્યપાલક ઇજનેર સાથે સતત સંપર્કમાં રહીને લજાઈ ગામના બધા ચેક ડેમ ઓવરફ્લો થયા બાદ પાણી વીરપર ગામના તળાવોમાં પહોંચેલ હતું. અને આજ રીતે એક પછી એક ગામના તળાવો ભરાઈ તે માટે કામ ચાલુ રહેશે.

- text

- text