ટંકારાના મામલતદાર તરીકે એક મહિના સુધી વાંકાનેરના આર.આર. પાદરિયાને ચાર્જ સોંપાયો

- text


ટંકારા મામલતદાર બી. કે. પંડયા એક માસની રજા પર ઉતર્યા 

ટંકારા : ટંકારા મામલતદાર બી.કે. પંડયા એક માસની રજા ઉતરી જતા વાંકાનેર મામલતદાર આર. આર.પાદરીયાને ચાર્જ સોપ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ટંકારામા ધણા સમયથી મામલતદાર કચેરીના કામને લઈને વિવાદો ચાલી રહ્યા છે અને ફરીયાદો મળી રહી છે. મામલતદાર ચાર્જ પર હોય અરજદારોને કામ બાબતે વધુ મોડુ થશે એવી આશંકાઓ વ્યક્ત થઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પંડયા સાહેબ નિવૃત થવાના છે ત્યારે ટંકારાને યુવા, કડક અને કાયદાના તજજ્ઞ અધિકારી મળે એ પણ લોકમાંગ ઉઠી છે.

- text