મોરબીમાં કાલે શુક્રવારે યુનિયન બજેટ અને વિવાદ સે વિશ્વાસ સ્કીમ અંગે સેમિનાર

- text


મોરબી : મોરબીમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CPE Chapter) એસોસિએશન દ્વારા ઉદ્યોગપતિઓ અને વેપારીઓના માટે આવતીકાલે તા. 13 માર્ચ શુક્રવારના રોજ અમદાવાદ શહેરના નિષ્ણાત સી.એ. મેહુલ ઠક્કરના વક્તાસ્થાને યુનિયન બજેટ 2020 અને વિવાદ સે વિશ્વાસ સ્કીમ અંગે નિ:શુલ્ક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન સાંજે 4 થી 6 કલાકે સંસ્કાર બ્લડ બેન્ક, GIDC સર્કલ, શનાળા રોડ ખાતે કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા માટે એસોસિએશન દ્વારા ઉદ્યોગપતિઓ અને વેપારીઓને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text