મોરબી : ભેંસના વાડામાં યુવાનનો ગળેફાંસો ખાઈને આપઘાત

- text


મોરબી : મોરબીના સામાકાંઠે ભેંસના વાડામાં યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણી લીધો હતો.

- text

આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે સો-ઓરડી, શેરી નં. ૧૨ માં રહેતા ટીડાભાઈ કાનાભાઈ રાતડીયા (ઉ.વ.૨૮) નામના યુવાને કોઈ કારણોસર નઝરબાગ પાસે આવેલ ભેંસના વાડામાં ગળેફાંસો ખાઈ લેતા તેમનું મોત નિપજ્યું છે. બાદમાં યુવાનના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બી ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી યુવાને કયાં કારણોસર આપઘાત કર્યો તે જાણવા માટે આગળની તપાસ હાથ ધરી છે.

- text