મોરબી : મોન્ટેલો સીરામીકના 15 કર્મચારીઓએ એકસાથે વ્યસન છોડ્યું

- text


મોરબી : વ્યસનએ ગુલામીની નિશાની છે. વ્યસનના લીધે જે તે વસ્તુની એવી આદત પડી જાય છે કે એ છેવટે કુટેવમાં ફેરવાય જાય છે. તેમાં પણ માવા-ગુટખા, તમાકુ જેવા વ્યસન કે જેનાથી કેન્સર થવાનો ખતરો રહે છે, તેને છોડાવા માટે સેવાભાવી વ્યક્તિઓ કે સંસ્થાઓ પ્રયત્નશીલ હોય છે.

- text

ત્યારે મોરબી સ્થિત મોન્ટેલો સીરામીકએ કર્મચારીઓએ વ્યસન મુક્ત થવાનું પ્રેરણાદાયી કાર્ય કર્યું છે. મોરબીમાં આવેલ મોન્ટેલો સીરામીકના કર્મચારીઓ તથા ભાગીદારો સહીત 15 સ્ટાફના સભ્યોએ એકસાથે માવા-ગુટખા સહીતના વ્યસનો છોડવાનો નિર્ણય કર્યો છે. તેમજ તેના દ્વારા સમાજને વ્યસનમુક્તિનો પ્રેરણાદાયી સંદેશ પાઠવ્યો છે.

- text