મોરબીમાં દંપતીએ જલારામ મંદિરમાં મહાપ્રસાદ યોજી લગ્નની વર્ષગાંઠ ઉજવી

- text


મોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ સાંજે પ્રસાદ તેમજ દર ગુરુવારે મહાપ્રસાદ યોજવામા આવે છે. ત્યારે તા.૩૦-૧-૨૦૨૦ ગુરુવારના રોજ મોરબીના રાજેશભાઈ ધીરજલાલ કોટેચા દ્વારા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી લગ્નની ૩મી વર્ષગાંઠની ઉજવણી કરવામા આવી હતી. રાજેશભાઈ ધીરજલાલ કોટેચા તથા તેમના ધર્મપત્નિ પ્રફુલ્લાબેન રાજેશભાઈ કોટેચા દ્વારા પોતાના લગ્નની ૩૨મી વર્ષગાંઠ નિમિતે પૂ. જલારામ બાપાનુ પૂજન, મહા આરતી તેમજ કેક કટીંગ, મહાપ્રસાદ સહીતના કાર્યક્રમો યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી પૂ. જલારામ બાપાના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ તકે કોટેચા પરિવારની આ પ્રેરણાદાયી ઉજવણી બદલ ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, હીતેશ જાની, બદ્રીપ્રસાદ અગ્રાવત, ચિરાગ રાચ્છ, મનિષ પટેલ, દીનેશ સોલંકી સહીતના અગ્રણીઓએ દંપતીને શુભકામના સહ અભિનંદન પાઠવ્યા હતા.

- text