મોરબીના મેંદપરા પરિવાર દ્વારા જામદૂધઇમાં રવિવારે નવચંડી યજ્ઞ

- text


મોરબી : મોરબીના મેંદપરા પરિવાર દ્વારા જામનગરના જામદૂધઇમાં મેંદપરા પરિવારના કુળદેવી શક્તિ માતાના મંદિરે તા. 2 ફેબ્રુઆરીના રોજ નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ મેંદપરા પરિવારના તેજવી તારલાઓનું સન્માન કરવા માટે સવારે 9-30 કલાકે સરસ્વતી સન્માન સમારંભ રાખવામાં આવ્યો છે. આ તકે આયોજકો દ્વારા મેંદપરા પરિવારના સભ્યોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text