રાજપરની આંગણવાડીના ચંદ્રિકાબેન કુબાવત નિવૃત થતા વિદાય સમારંભ યોજાયો

- text


મોરબી : રાજપર ગામની આંગણવાડી કોડ નં. 124માં 13 વર્ષથી ફરજ બજાવતા ચંદ્રિકાબેન શામણદાસ કુબાવત વયમર્યાદાના કારણે નિવૃત થતા તેમને વિદાય આપવા વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે બાળકોને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ સાથી કર્મચારીઓ દ્વારા ચંદ્રિકાબેનનું નિવૃત્તિમય જીવન શાંતિથી વીતે તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.

- text