ટંકારા : નવજાત ત્યજી દીધેલી બાળકીનું સારવાર દરમિયાન મોત

- text


ટંકારા : થોડા દિવસ પહેલા ટંકારા તાલુકાના નેકનામ ગામે ખુલ્લી જગ્યામાંથી તાજી જન્મેલી બાળકી ત્યજી દીધેલી હાલતમાં મળી આવી હતી. આ નવજાત બાળકીને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

- text

ટંકારાના નેકનામ ગામેથી થોડા દિવસ પહેલા સવારે નહેર પાસેના ખુલ્લી જગ્યામાંથી તાજી જ જન્મેલી બાળકી મળી આવી હતી. જાણ થતાં 108ની ટીમ દ્વારા એ નવજાત બાળકીને પ્રાથમિક સારવાર આપી તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ નવજાત બાળકીનું મૃત્યુ થયું છે. આ બનાવની જાણ લોકોને થતા બાળકીને ત્યજી દેનાર નિષ્ઠુર માતા પર ફિટકાર વરસ્યો છે. જો કે નદીના કિનારે નવજાતને કોણ મૂકી ગયુ એની ભાળ મેળવવા પોલીસે બતમીદારોને કામે લગાડ્યા છે. અજાણી મહિલા સામે બાળકીને જન્મ આપી પોતાની ઓળખ છુપાવવા માટે ત્યજી દેવા સબબ ગુનો નોંધ્યો છે.

ઉલ્લેખનીય છે કે નવજાત બાળકીના મોતના સમાચાર જાણી આશરે 100થી વધુ બાળકીને દત્તક લેવા માંગતા દંપતીઓ પણ શોકમય બની ગયા છે.

- text